સુરત ખાતે નિરાધાર વૃદ્ધ માતા ની સંભાળ ની જવાબદારી લેતા મધુબેન ખેની

સુરત, હિન્દ ન્યુઝ

          સુરત ખાતે આવેલ એ.કે. રોડ પટેલ નગર પાસે કોરોનાની મહામારી સ્થિતિમાં છેલ્લા સાત મહિનાથી ફુટપાથ ઉપર નિરાધાર વૃદ્ધ માતા કે જેના વાલી વારસમાં કોઈ સંપર્કમાં નથી. તેઓની સાર સંભાળ લે તેવું કોઈ પણ નથી. પટેલ નગરના આગેવાનો એ ‘શાંતિદૂત મહિલા મંડળ’ સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને શાંતિ દૂધ મહિલા મંડળના પ્રમુખ મધુબેન ખેની એ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર આ વૃદ્ધમાતાની સેવા કરવાની જવાબદારી લીધી હતી અને તેમની સંસ્થામાં પણ કોઈ પણ પ્રકારનો કરેલ સેવાનો ખર્ચ લેવામાં આવતો નથી. વધુમાં આ સેવા કરવા માં શાંતિદૂત મહિલા મંડળના પ્રમુખ મધુબેન ખેની અને તેની સાથે સુનિતાબેન મારવાડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : હિના ભટ્ટ, સુરત

Related posts

Leave a Comment